ઉદ્યોગપતિએ કહ્યું, સુરત એરપોર્ટ કહેવાય ઈન્ટરનેશનલ પણ કનેક્ટિવિટી પુણે, ઈન્દોર કરતાં પણ ખરાબ.
ઉદ્યોગપતિએ કહ્યું, સુરત એરપોર્ટ કહેવાય ઈન્ટરનેશનલ પણ કનેક્ટિવિટી પુણે, ઈન્દોર કરતાં પણ ખરાબ.
Published on: 24th April, 2026

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ચર્ચાસભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઉદ્યોગપતિઓના પ્રશ્નો સાંભળી હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. બેઠકમાં લેબર આવાસ, હોસ્પિટલ, સ્કિલ ડેવલપમેન્ટ અને સુરત એરપોર્ટની કનેક્ટિવિટી જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. માંડવિયાએ કામદારો માટે આવાસ અને હોસ્પિટલની સુવિધા તેમજ નવા મજૂર કાયદા અંગે વર્કશોપ યોજવાની ખાતરી આપી હતી. ઉપરાંત, રિન્યુએબલ એનર્જી પોલિસી અને ઉદ્યોગો દ્વારા સ્વતંત્ર સ્કિલિંગ સેન્ટર સ્થાપવા બાબતે સરકાર તરફથી આર્થિક મદદ અને સહયોગની તૈયારી દર્શાવી હતી.