ઈથેનોલ યુક્ત પેટ્રોલ ઈ-20ને લઈને કાર કંપનીઓ ચિંતિત હોવાનો રિપોર્ટ
ઈથેનોલ યુક્ત પેટ્રોલ ઈ-20ને લઈને કાર કંપનીઓ ચિંતિત હોવાનો રિપોર્ટ
Published on: 14th August, 2026

ભારતમાં ઈથેનોલ યુક્ત પેટ્રોલ E20ને લઈને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્ર્સે ક્લોરાઈડ અને ભેજના વધારે પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. રોઈટર્સના રિપોર્ટ મુજબ, મારુતિ, ટાટા મોટર્સ અને મહિન્દ્રાના અધિકારીઓએ આ મુદ્દે અહેવાલ આપ્યા છે. SI AM દ્વારા સરકારને મોકલેલો પત્ર પાછો ખેંચી લેવાયો છે, જેમાં અમુક વિગતો ચકાસવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. ઓટો કંપનીઓએ લીધેલા 250થી વધુ ફ્યુલ સેમ્પલ્સમાં 18 રાજ્યોમાં ક્લોરાઈડ અને અનેક સ્થળોએ ભેજનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ જણાયું છે. છત્તીસગઢમાં E20 પેટ્રોલને કારણે કાર અટકતી હોવાની ફરિયાદ બાદ કોર્ટે મારુતિને નવી કાર આપવાનો આદેશ આપ્યો હતો, જેને મારુતિએ પડકાર્યો છે.