₹1,000નું FASTag રિચાર્જ ફ્રી!
₹1,000નું FASTag રિચાર્જ ફ્રી!
Published on: 04th September, 2026

NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા 'ક્લીન ટોઇલેટ પિક્ચર ચેલેન્જ' પહેલ હેઠળ, હવે મુસાફરો હાઇવે પરના અસ્વચ્છ શૌચાલયની જાણ કરીને ₹1,000 નું FASTag રિચાર્જ ઇનામ મેળવી શકે છે. આ યોજના 30 જૂન, 2027 સુધી લંબાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 429 મુસાફરોને આનો લાભ મળ્યો છે. ભાગ લેવા માટે, 'રાજમાર્ગયાત્રા' મોબાઇલ એપ્લિકેશન દ્વારા જીઓ-ટેગ કરેલો અને ટાઇમસ્ટેમ્પ સાથેનો શૌચાલયનો સ્પષ્ટ ફોટો, નામ, સ્થાન, વાહન નોંધણી નંબર અને મોબાઇલ નંબર સાથે અપલોડ કરવાનો રહેશે. ઇનામ વાહન નોંધણી નંબર સાથે જોડાયેલા FASTag માં જમા થશે.