જૂનાગઢ અને ગીર સોમનાથની હોટલો પર GST તપાસ
જૂનાગઢ અને ગીર સોમનાથની હોટલો પર GST તપાસ
Published on: 12th June, 2026

અધિક માસ અને વેકેશનને કારણે જૂનાગઢ, સાસણ, અને સોમનાથમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, GST વિભાગ જૂનાગઢ જિલ્લાની 660 અને ગીર સોમનાથ જિલ્લાની 353 હોટલો, ફાર્મ હાઉસ અને રેસ્ટોરન્ટ્સનું વિશ્લેષણ શરૂ કરી રહ્યું છે. GST ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. GST જોઈન્ટ કમિશનર ધર્મજીત યાજ્ઞીકે જણાવ્યું કે, આગામી 15 જૂનથી આ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જેમાં ટેક્સ ભરવામાં થતી ગેરરીતિઓ અને બિલિંગ પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.