AI 171 પ્લેન ક્રેશ: 260 લોકોના જીવ લેનાર દુર્ઘટનાની તપાસ ચાલુ, ઉડ્ડયનમંત્રીનો જવાબ
AI 171 પ્લેન ક્રેશ: 260 લોકોના જીવ લેનાર દુર્ઘટનાની તપાસ ચાલુ, ઉડ્ડયનમંત્રીનો જવાબ
Published on: 12th June, 2026

અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા AI171 ફ્લાઇટ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનાની તપાસ કરી રહેલી સરકારી સંસ્થા AAIB એ જણાવ્યું છે કે, બ્લેક બોક્સ અને એન્જિન ભાગોના પૃથ્થકરણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. જોકે, અંતિમ અહેવાલ આવવામાં હજુ 2 મહિના લાગી શકે છે. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા, જે ભારતીય ઉડ્ડયન ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક છે. નાગરિક ઉડ્ડયન મંત્રીએ પારદર્શિતા અને ભવિષ્યમાં ઉડ્ડયન સુરક્ષાને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.