Jaiprakash Associates શેરબજારમાંથી બહાર, 6.5 લાખ રોકાણકારોના પૈસા ડૂબ્યા?
Jaiprakash Associates શેરબજારમાંથી બહાર, 6.5 લાખ રોકાણકારોના પૈસા ડૂબ્યા?
Published on: 16th June, 2026

Jaiprakash Associates Limited (JAL) શેરબજારમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી રહી છે, કારણ કે સ્ટોક એક્સચેન્જે તેના ડીલિસ્ટિંગને મંજૂરી આપી દીધી છે. 18 જૂન 2026 થી JAL ના શેરોનું ટ્રેડિંગ બંધ થઈ જશે. અદાણી ગ્રુપે કંપનીને લગભગ 14,000 કરોડ રૂપિયામાં ખરીદી છે. NCLT ની મંજૂરી બાદ આ નિર્ણય લેવાયો છે. અંદાજે 6.5 લાખ શેરધારકોને કોઈ વળતર નહીં મળે, કારણ કે રિઝોલ્યુશન પ્લાન હેઠળ તેમને ‘ઝીરો કન્સિડરેશન’ મળ્યું છે. એટલે કે તેમનું રોકાણ સંપૂર્ણપણે શૂન્ય થઈ ગયું છે. આ ઘટના રોકાણકારો માટે એક મહત્વનો પાઠ છે.