મેહસાણાના APMCમાં રોકડ તંગીનો અંત રજૂઆતથીખેડૂતો-વેપારીઓને રાહત
મેહસાણાના APMCમાં રોકડ તંગીનો અંત રજૂઆતથીખેડૂતો-વેપારીઓને રાહત
Published on: 24th April, 2026

એશિયાના સૌથી મોટા ઊંઝા APMC માર્કેટમાં જીરું અને વરિયાળી જેવી જણસીઓની બમ્પર આવક વચ્ચે સર્જાયેલી રોકડની તંગીનું સુખદ નિરાકરણ આવ્યું છે. ખેડૂતોને રોકડ ચૂકવણીમાં પડતી મુશ્કેલી અંગે ચેરમેન દિનેશભાઈ પટેલે સાંસદ હરિભાઈ પટેલને રજૂઆત કરી હતી. સાંસદે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમન સાથે રૂબરૂ મુલાકાત કરી સમસ્યા વર્ણવતા, બેંકોને પૂરતી રોકડ પૂરી પાડવા સૂચના અપાઈ છે. આ ઝડપી કાર્યવાહીથી ખેડૂતો અને વેપારીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે અને માર્કેટમાં નાણાકીય વ્યવહાર વધુ સરળ બન્યા છે.