સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં મિલકત વેરામાં એક વર્ષની માફી
સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં મિલકત વેરામાં એક વર્ષની માફી
Published on: 16th July, 2026

સુરતમાં ભારે વરસાદથી થયેલા પૂરને કારણે થયેલા આર્થિક નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા પુન:વસન સહાય પેકેજ જાહેર કરાયું છે. આ પેકેજ અંતર્ગત, અસરગ્રસ્ત વિસ્તારોમાં લારી, કેબિન અને દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય ચૂકવાશે. જે વેપારીઓએ ત્રિ-માસિક GST રિટર્ન ભર્યા હોય તેમને ₹1 લાખ સુધીની રોકડ સહાય મળશે. ઉપરાંત, પાકી દુકાનો માટે 3 વર્ષ સુધી 7% વ્યાજ દરે લોન સહાય પણ આપવામાં આવશે. સુરત શહેરના રહેણાંક અને વાણિજ્ય વિસ્તારો માટે એક વર્ષ માટે મિલકત વેરામાં માફી આપવામાં આવી છે.