અમદાવાદ હાથીજણ સ્થિત રામદેવજી-નેતલ દે મંદિરે અષાઢી બીજે ભક્તોનો મહેરામણ!
અમદાવાદ હાથીજણ સ્થિત રામદેવજી-નેતલ દે મંદિરે અષાઢી બીજે ભક્તોનો મહેરામણ!
Published on: 16th July, 2026

અમદાવાદના હાથીજણ સ્થિત લાલગેબી આશ્રમ ખાતે આવેલા રામદેવપીર અને નેતલ દેના એકમાત્ર મંદિરે અષાઢી બીજના પવિત્ર દિવસે હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં આ એકમાત્ર એવું પવિત્ર સ્થાનક છે જ્યાં રામદેવપીર અને માતા નેતલ દે એકસાથે બિરાજમાન છે. ભક્તો અહીં સાચા મનથી માનતા રાખે છે, જે પૂર્ણ થવા પર સાકર, શ્રીફળ અને કાપડના ઘોડા અર્પણ કરે છે. અહીં નવગ્રહ મંદિર પણ આવેલું છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને પણ આવે છે. મહાપ્રસાદની વ્યવસ્થા તેમજ ભક્તિ અને ભજનનો અનોખો સંગમ જોવા મળે છે.