એક રાતમાં 6 હત્યા: જામીન પર બહાર આવેલ આરોપીએ બે પરિવારોનો કર્યો અંત
એક રાતમાં 6 હત્યા: જામીન પર બહાર આવેલ આરોપીએ બે પરિવારોનો કર્યો અંત
Published on: 11th July, 2026

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં POCSO એક્ટના આરોપીએ જામીન પર છૂટ્યા બાદ એક જ રાતમાં બે પરિવારોના કુલ 6 લોકોની ક્રૂર હત્યા કરી. નરાધમે સગીર પીડિતાના પરિવારની હત્યા બાદ પોતાના પત્ની અને બે માસૂમ બાળકોને પણ મોતને ઘાટ ઉતાર્યા. પોલીસ તપાસ મુજબ, આરોપી રાજુ કુમાર પર મે મહિનામાં POCSO હેઠળ ગુનો નોંધાયો હતો. હત્યા બાદ તેણે સગીરાનું અપહરણ કરી તળાવ કિનારે તેની હત્યા કરી અને પછી ઘરે જઈ પોતાના પરિવારનો અંત આણ્યો.