સુરત સિવિલ ડો. હર્ષ પંડ્યા આપઘાત બાદ એટ્રોસિટી અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ
સુરત સિવિલ ડો. હર્ષ પંડ્યા આપઘાત બાદ એટ્રોસિટી અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ
Published on: 16th August, 2026

સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે FSL રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટ મુજબ, ડો. હર્ષનું મોત ગળેફાંસો ખાવાથી થયું છે. જોકે, તેમને આત્મહત્યા કરવા કોણે મજબૂર કર્યા તે પોલીસ માટે મોટો પ્રશ્ન છે. મૃતકના પિતાએ ચાર સિનિયર ડોક્ટરો સામે એટ્રોસિટી અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે SC જાતિના હોવાથી તેમને નિશાન બનાવવામાં આવતા હતા અને અસહ્ય માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. 7 જુનિયર ડોક્ટરોએ પણ સિનિયરોની દાદાગીરીની પુષ્ટિ કરી છે.