DMK ધારાસભ્યને હાઇકોર્ટમાંથી મોટી રાહત, સરકાર તોડવા 35 કરોડની લાંચનો આરોપ
DMK ધારાસભ્યને હાઇકોર્ટમાંથી મોટી રાહત, સરકાર તોડવા 35 કરોડની લાંચનો આરોપ
Published on: 09th July, 2026

મદ્રાસ હાઈકોર્ટે DMK ધારાસભ્ય વી. સેન્થિલ બાલાજી અને તેમના ભાઈ અશોક કુમારને આગોતરા જામીન આપ્યા છે. TVK ના ધારાસભ્યને સરકાર તોડવા 35 કરોડની લાંચ ઓફર કરવાના આરોપમાં આ નિર્ણય લેવાયો છે. ન્યાયાધીશે બંને ભાઈઓને દરરોજ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની શરતે જામીન આપ્યા છે. પોલીસે અગાઉ આ બંને સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતી. આ કેસમાં ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપો સામે આવ્યા છે. અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન મતદાન બદલ ₹35 કરોડની ઓફર કરાયાનો દાવો છે. ટ્રિપ્લીકેન પોલીસે આ કેસમાં આઠ લોકોની ધરપકડ કરી છે, જેઓ સેન્થિલ બાલાજી અને અશોક કુમારની સૂચના પર કામ કરતા હોવાનો દાવો છે.