હિંમતનગરના વજેપુરમાં ટ્રેક્ટર વાળવાના મુદ્દે ખેડૂતો વચ્ચે ઝઘડો
હિંમતનગરના વજેપુરમાં ટ્રેક્ટર વાળવાના મુદ્દે ખેડૂતો વચ્ચે ઝઘડો
Published on: 23rd July, 2026

હિંમતનગર નજીક વજેપુર ગામમાં ખેતરમાં ટ્રેક્ટર વાળવા બાબતે થયેલા ઝઘડામાં ત્રણ લોકોને ઇજા પહોંચી છે. પ્રાપ્ત માહિતી મુજબ, એક ખેડૂત પોતાના ખેતરમાં ખેડકામ કરી રહ્યા હતા, તે દરમિયાન અન્ય એક ગામલોકે પોતાનું ટ્રેક્ટર ખેડૂતના ખેતરમાં વાળ્યું હતું. આ બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં ચાર લોકોએ મળીને ત્રણ વ્યક્તિઓને કોદારી અને લાકડીઓ વડે માર માર્યો હતો. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.