લખનઉમાં કોચિંગ ક્લાસમાં આગ, 12ના મોત, અનેક લોકો જીવ બચાવવા કૂદ્યા
લખનઉમાં કોચિંગ ક્લાસમાં આગ, 12ના મોત, અનેક લોકો જીવ બચાવવા કૂદ્યા
Published on: 22nd June, 2026

લખનૌના અલીગંજ વિસ્તારમાં સોમવારે એક ઈમારતમાં ભીષણ આગ લાગતાં ૨૦ થી ૨૪ વર્ષની વયના ૧૨ લોકોના મોત થયા છે. શરૂઆતમાં આ ઘટના કોચિંગ સેન્ટર કે લાઈબ્રેરીમાં થઈ હોવાની આશંકા હતી, પરંતુ પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આગ બિલ્ડિંગના ઉપરના માળે આવેલા ગેમિંગ ઝોનમાં લાગી હતી. આગને કારણે ફેલાયેલા ધુમાડા વચ્ચે જીવ બચાવવા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને એક વ્યક્તિએ છત પરથી છલાંગ લગાવી હતી. ફાયર બ્રિગેડની ૧૪ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનાની કડક નોંધ લઈ વરિષ્ઠ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે.