પાલઘરમાં ટ્રક-કન્ટેનર ટક્કર: 12ના મોત, 25 ઘાયલ.
પાલઘરમાં ટ્રક-કન્ટેનર ટક્કર: 12ના મોત, 25 ઘાયલ.
Published on: 18th May, 2026

મહારાષ્ટ્રના પાલઘરમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રક અને કન્ટેનર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ડહાણુ તાલુકાના બાપુગામથી 100થી વધુ લોકો સગાઈ પ્રસંગમાં હાજરી આપવા ટ્રકમાં જઈ રહ્યા હતા. પાલઘર જિલ્લાના ધાનીવરી ગામ નજીક સામેથી આવી રહેલા કન્ટેનર સાથે ટ્રકની જોરદાર ટક્કર થતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.