રામ મંદિર દાન ચોરી મામલે SITએ SBIની ભૂમિકા સામે ઊઠાવ્યા ગંભીર સવાલ
રામ મંદિર દાન ચોરી મામલે SITએ SBIની ભૂમિકા સામે ઊઠાવ્યા ગંભીર સવાલ
Published on: 09th July, 2026

અયોધ્યા રામ મંદિરના દાનની ગણતરીમાં SBIની ભૂમિકા પર SITએ પ્રશ્નો ઉઠાવ્યા છે. બેંક SOPના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે હવે કાયદાકીય તપાસ શરૂ થઈ છે. SITના અહેવાલ મુજબ, SBI માત્ર દાનની રકમ ગણીને જમા કરાવવા પૂરતી સીમિત નહોતી, પરંતુ ગણતરી પ્રક્રિયા પર દેખરેખ રાખવાની અને સુરક્ષા નિયમોનું પાલન કરાવવાની પણ તેની જવાબદારી હતી. બેંકની આ બેદરકારીને કારણે દાન વ્યવસ્થાપનની પારદર્શિતા સામે પ્રશ્નો સર્જાયા છે. SBIના અધિકારીઓ અને ખાનગી કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવશે.