સિયા ગોયલના સ્નેપચેટ મેસેજથી કેતન મર્ડર કેસમાં નવો વળાંક!
સિયા ગોયલના સ્નેપચેટ મેસેજથી કેતન મર્ડર કેસમાં નવો વળાંક!
Published on: 04th July, 2026

કેતન અગ્રવાલ હત્યાકાંડમાં એક ચોંકાવનારો પુરાવો પોલીસના હાથમાં આવ્યો છે, જેનાથી આ મર્ડર મિસ્ટ્રીમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. આરોપી સિયા ગોયલની કથિત સ્નેપચેટ ચેટ તપાસાઈ રહી છે, જે દર્શાવે છે કે હત્યા એક ઊંડા ષડયંત્ર હેઠળ થઈ હતી. 25 મે ની આ ચેટમાં, સિયા પોતાની મિત્ર પાસે આધાર કાર્ડ માંગે છે, જે વેડિંગ ટિકિટ માટેનું બહાનું હતું. પોલીસ તપાસી રહી છે કે આ ટિકિટ બુકિંગ માત્ર કેતન અગ્રવાલ પર શંકા ન જાય તે માટેનો દેખાવ હતો. આ કવાયત મર્ડર પ્લોટ છુપાવવા અને તપાસ ભટકાવવાનો પ્રયાસ હોઈ શકે છે.