વારાણસી એરપોર્ટ પર મુસાફરની પિસ્તોલમાંથી ગોળી છૂટી
વારાણસી એરપોર્ટ પર મુસાફરની પિસ્તોલમાંથી ગોળી છૂટી
Published on: 16th August, 2026

વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરની પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટી હતી. આ દુર્ઘટનામાં ફ્લોર પર અથડાયેલી ગોળી નજીકમાં ઊભેલા એક યુવકના હાથમાં અને એક મહિલાની જાંઘમાં વાગતા બંને કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા. બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. મુસાફરે નિયમ મુજબ પોતાની પિસ્તોલ અને મેગેઝીનની માહિતી અધિકારીઓને આપી દીધી હતી, પરંતુ ચેકિંગ પ્રક્રિયા દરમિયાન અચાનક ગોળી છૂટી ગઈ. તપાસ ચાલી રહી છે.