રામ મંદિર દાન ચોરી: SIT રિપોર્ટમાં કર્મચારીઓ કપડાં, બૂટમાં નોટો છુપાવતા કેદ
રામ મંદિર દાન ચોરી: SIT રિપોર્ટમાં કર્મચારીઓ કપડાં, બૂટમાં નોટો છુપાવતા કેદ
Published on: 06th July, 2026

અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે SITના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. CCTV ફૂટેજમાં કર્મચારીઓ ગણતરી દરમિયાન નોટો કપડાં, ખિસ્સાં અને બૂટમાં છુપાવતા દેખાયા છે. આશરે 70 શંકાસ્પદ ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 6 કર્મચારીઓની મિલીભગત હોવાની શંકા છે. લગભગ 78.94 લાખ રૂપિયા રિકવર કરાયા છે. ટ્રસ્ટની નબળી સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના ઉલ્લંઘન પર પણ સવાલો ઉઠાવાયા છે. ડો. અનિલ મિશ્રા પર પણ ગંભીર આક્ષેપો થયા છે.