પાલનપુરમાં શિક્ષકદિન નિમિત્તે બનાસકાંઠા અને વાવ-થરાદના શ્રેષ્ઠ શિક્ષકોનું ભવ્ય સન્માન
પાલનપુરમાં શિક્ષકદિન નિમિત્તે બનાસકાંઠા અને વાવ-થરાદના શ્રેષ્ઠ શિક્ષકોનું ભવ્ય સન્માન
Published on: 06th September, 2026

પાલનપુરમાં શિક્ષકદિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો, મુખ્ય શિક્ષકો અને CRC કો-ઓર્ડિનેટરોનું સન્માન કરાયું. પ્રભારી મંત્રી કમલેશ પટેલે શિક્ષકોને જાતિભેદથી દૂર રહી સામાજિક સમરસતા વિકસાવવા તથા જવાબદાર નાગરિકો ઘડવા અનુરોધ કર્યો. ‘સમરસ વિદ્યાસેતુ અભિયાન’ હેઠળ શાળા બહારના બાળકોને શિક્ષણમાં પરત લાવવામાં મળેલી 88% સફળતા બદલ અભિનંદન પાઠવ્યા. રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ડ્રોપઆઉટ ઘટાડવા અને શિક્ષણનું માળખું મજબૂત કરવા સરકારના પ્રયાસોની ચર્ચા કરી.