વંકલા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક હસમુખપુરી ગોસાઈની વિદાય સમારોહ યોજાયો
વંકલા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક હસમુખપુરી ગોસાઈની વિદાય સમારોહ યોજાયો
Published on: 29th July, 2026

નસવાડી તાલુકાની વંકલા પ્રાથમિક શાળામાં ૧૦ વર્ષની સેવા બાદ શિક્ષક હસમુખપુરી ભરતપુરી ગોસાઈની બદલી નિમિત્તે લાગણીસભર વિદાય સમારોહ યોજાયો. તેમણે માત્ર જ્ઞાન જ નહીં, પણ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને જીવનમૂલ્યોનું સિંચન કર્યું. તેમનો સરળ સ્વભાવ, શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પ્રત્યેનો પ્રયાસ શાળાની આગવી ઓળખ બન્યો હતો, જે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગામલોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા.