મોહેં-જો-દડોમાં ઉત્ખનન વખતે મળેલી નર્તકીની નગ્ન મૂર્તિને NCERTએ કપડાં પહેરાવી દેતા વિવાદ
મોહેં-જો-દડોમાં ઉત્ખનન વખતે મળેલી નર્તકીની નગ્ન મૂર્તિને NCERTએ કપડાં પહેરાવી દેતા વિવાદ
Published on: 15th June, 2026

NCERT પર ઇતિહાસ સાથે ચેડા કરવાનો આરોપ લાગ્યો છે. ધોરણ 9ના પુસ્તકમાં મોહેં-જો-દડો ખાતે મળેલી નગ્ન નર્તકીની કાંસાની મૂર્તિની તસવીરના ખભાથી નીચેનો ભાગ ઢાંકી દેવાયો છે, જેના કારણે મૂર્તિએ કપડાં પહેર્યા હોવાનો ભ્રમ ઊભો થાય છે. આ ફેરફાર છેલ્લા 25 વર્ષમાં પ્રથમ વખત કરાયો છે. ઇતિહાસકારો આ કાર્યવાહીને સેન્સરશિપ ગણાવી રહ્યા છે અને તેને વિદ્યાર્થીઓને ખોટી માહિતી આપવા સમાન ગણાવી રહ્યા છે. NCERTના નિયામકે આ આરોપોને ફગાવી દીધા છે.