રાણપુરના ખસ માધ્યમિક શાળાના આચાર્ય વનરાજસિંહ ચાવડા
રાણપુરના ખસ માધ્યમિક શાળાના આચાર્ય વનરાજસિંહ ચાવડા
Published on: 06th September, 2026

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની ખસ માધ્યમિક શાળાના આચાર્ય વનરાજસિંહ દેવુભાઈ ચાવડાએ અદ્ભુત કામગીરી કરી છે. 17 વર્ષ શિક્ષક રહ્યા બાદ 2019માં આચાર્ય બન્યા. ભંડોળના અભાવે દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી રૂ. 50 લાખનો લોકફાળો એકત્ર કરી શાળાનું કાયાપલટ કર્યું. ત્રણ વર્ષમાં સ્માર્ટ બોર્ડ, લેબોરેટરીઓ, શુદ્ધ પાણી, 600થી વધુ વૃક્ષો સાથે આધુનિક શૈક્ષણિક સંકુલ બનાવ્યું. 'કૌન બનેગા કરોડપતિ'માં જીતેલા રૂ. 25 લાખથી પુસ્તકાલય, વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ જાગૃતિ, નિઃશુલ્ક માર્ગદર્શન, અને રાસ મંડળી પુનર્જીવિત કરી સામાજિક દાયિત્વ નિભાવ્યું.