માત્ર 30 વર્ષની ઉંમરે અભિનેત્રી સંચિતા ઉગલેનું દુ:ખદ અવસાન, 'છાવા'માં કર્યું હતું મહત્વનું કામ.
માત્ર 30 વર્ષની ઉંમરે અભિનેત્રી સંચિતા ઉગલેનું દુ:ખદ અવસાન, 'છાવા'માં કર્યું હતું મહત્વનું કામ.
Published on: 15th June, 2026

જાણીતી ટીવી અભિનેત્રી સંચિતા ઉગલેએ 14 જૂનના રોજ મુંબઈમાં આત્મહત્યા કરી લીધી છે. 30 વર્ષની ઉંમરે તેમણે પોતાનું જીવન ટૂંકાવી લીધું, જોકે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સંચિતા ઉગલે 'કુમકુમ ભાગ્ય' શોમાં 'દિયા ટંડન'ના પાત્રથી લોકપ્રિય થઈ હતી. તેમણે 'વાગલે કી દુનિયા' અને 'દિલવાલી દુલ્હા લે જાયેગી' જેવા શોમાં પણ કામ કર્યું હતું. વિકી કૌશલની ફિલ્મ 'છાવા' માં 'તારાબાઈ'નો રોલ ભજવી તેમણે મોટા પડદા પર પણ પોતાની છાપ છોડી હતી. તેમના અચાનક નિધનથી સમગ્ર મનોરંજન જગતમાં શોક છવાયો છે.