અરિજિત સિંહના નિવૃત્તિના અંત પછી 'આવારાપન ટુ'નું નવું ગીત આજે થશે રજૂ
અરિજિત સિંહના નિવૃત્તિના અંત પછી 'આવારાપન ટુ'નું નવું ગીત આજે થશે રજૂ
Published on: 21st July, 2026

લોકપ્રિય ગાયક અરિજિત સિંહે નિવૃત્તિ જાહેર કર્યા બાદ હવે 'આવારાપન ટુ' ફિલ્મ માટે એક નવું ગીત ગાયું છે, જે આજે સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પર રિલીઝ થશે. આ ગીત 'યેહ આવારાપન' શીર્ષક હેઠળ ૨૧ જુલાઇએ રજૂ થશે. ગાયક અરિજિત સિંહના વિશેષ ફિલ્મ્સ સાથે પંદર વર્ષથી ગાઢ સંબંધ છે, જેમણે 'મર્ડર ટુ' થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. રશ્મિ વિરાગ દ્વારા લખાયેલ અને અમાલ મલિક દ્વારા સંગીતબદ્ધ કરાયેલ આ ગીત ઇમરાન હાશમી, દિશા પટણી અને શબાના આઝમી અભિનિત 'આવારાપન ટુ' ફિલ્મનો એક ભાગ છે, જે ૧૪ ઓગસ્ટે સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે.