ભરૂચમાં ૨૫૦ વર્ષ જૂના મેઘમેળાનો પ્રારંભ
ભરૂચમાં ૨૫૦ વર્ષ જૂના મેઘમેળાનો પ્રારંભ
Published on: 13th August, 2026

ભરૂચમાં ૨૫૦ વર્ષથી ચાલી આવતી અનોખી મેઘમેળાની પરંપરા આ વર્ષે પણ ધામધૂમથી શરૂ થઈ છે. મેઘરાજાની સ્થાપના સાથે શ્રદ્ધાળુઓએ પુજા-અર્ચના કરી વરસાદ માટે પ્રાર્થના કરી. આ ઉત્સવ ભરૂચની લોકસંસ્કૃતિ અને ભોઈ સમાજની આગવી ઓળખ બન્યો છે. અષાઢ વદ અમાસની રાત્રે ભોઈ સમાજના યુવાનો દ્વારા નર્મદા નદીની કાળી માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવવામાં આવે છે. લોકવાયકા મુજબ, છપ્પનિયા દુષ્કાળ દરમિયાન વરસાદ માટે શરૂ થયેલી આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે.