મહીસાગરના વીરપુરના ખાટા ગામે દીવાલ ધરાશાયી થતાં બે બાળકોનું દટાઈ જતાં મોત
મહીસાગરના વીરપુરના ખાટા ગામે દીવાલ ધરાશાયી થતાં બે બાળકોનું દટાઈ જતાં મોત
Published on: 13th August, 2026

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખાટા ગામે ભારે વરસાદને કારણે એક રહેણાંક ઘરની કાચી દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી 2 વર્ષ અને 4 વર્ષની ઉંમરના બે માસૂમ સગા બાળકોના કરૂણ મોત નીપજ્યા. આસપાસના લોકોએ તાત્કાલિક કાટમાળ હટાવી બાળકોને બહાર કાઢ્યા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે બંને બાળકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પરિવારજનોના આક્રંદથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.