ફિલ્મમાં હિંસા અને ગાળો મુદ્દે રણવીર સિંહનો ફરહાન અખ્તર સાથે ડખો!
ફિલ્મમાં હિંસા અને ગાળો મુદ્દે રણવીર સિંહનો ફરહાન અખ્તર સાથે ડખો!
Published on: 01st May, 2026

બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ અને ડિરેક્ટર ફરહાન અખ્તર વચ્ચે 'ડોન 3' ફિલ્મને લઈને સર્જાયેલો વિવાદ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ હવે મુશ્કેલીમાં મુકાયો હોય તેમ જણાય છે. એક અહેવાલ અનુસાર, રણવીર સિંહ ઈચ્છતો હતો કે 'ડોન 3'માં તેનો નેગેટિવ રોલ આજના સમયના ટ્રેન્ડ મુજબ વધુ હિંસક અને 'ડાર્ક' હોય. રણવીરનું માનવું હતું કે પ્રેક્ષકોને અત્યારે પડદા પર લોહીલુહાણ દ્રશ્યો અને ગાળાગાળીવાળી ભાષા વધુ પસંદ આવી રહી છે. તેણે આગ્રહ રાખ્યો હતો કે ડોનના ડાયલોગ્સમાં ગાળોનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ ફરહાન અખ્તર આ વિચારના સખત વિરોધમાં હતો.