રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મ રિલીઝ પહેલા વિવાદોમાં
રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મ રિલીઝ પહેલા વિવાદોમાં
Published on: 03rd August, 2026

રણબીર કપૂર અભિનીત 'રામાયણ' ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી છે. નવી દિલ્હી સ્થિત શ્રી રામલીલા મહાસંઘે પ્રેસ કોન્ફરન્સ યોજીને ફિલ્મના મેકર્સ પાસેથી કેટલીક માંગણીઓ કરી છે. મહાસંઘે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેને તેમના પ્રતિનિધિ મંડળને બતાવવાની માંગ કરી છે, જેથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ ન પહોંચે. 'આદિપુરુષ' ફિલ્મનો ઉલ્લેખ કરીને, મહાસંઘે ચેતવણી આપી છે કે જો વિવાદાસ્પદ દ્રશ્યો દૂર નહીં કરાય તો દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.