માંજલપુર પેટાચૂંટણીમાં મારામારી અને આચાર સંહિતા ભંગ વચ્ચે માત્ર ૩૭.૫૦% મતદાન
માંજલપુર પેટાચૂંટણીમાં મારામારી અને આચાર સંહિતા ભંગ વચ્ચે માત્ર ૩૭.૫૦% મતદાન
Published on: 30th July, 2026

વડોદરામાં માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અનેક સ્થળોએ મારામારી, ઉગ્ર બોલાચાલી અને આચાર સંહિતાના ભંગની ફરિયાદો વચ્ચે મતદાન પૂર્ણ થયું. સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૩૭.૫૦% મતદાન નોંધાયું, જે ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી થયેલી બેઠક માટે યોજાયું હતું. ૨૬૦ મતદાન મથકો પર સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, પરંતુ ૧૧ વાગ્યા સુધી માત્ર ૧૪% મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણના દ્રશ્યો સર્જાયા હતાં. ભાજપના સતીષ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઇ રબારીના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયા છે.