ભરૂચ જામા મસ્જિદ વિવાદ: જૈન સંતોનો દાવો, આ સ્થળ 'સમડી વિહાર' છે
ભરૂચ જામા મસ્જિદ વિવાદ: જૈન સંતોનો દાવો, આ સ્થળ 'સમડી વિહાર' છે
Published on: 12th June, 2026

ભરૂચની જામા મસ્જિદ ફરી ચર્ચામાં આવી છે, જ્યાં જૈન સંતોએ દાવો કર્યો છે કે આ ઐતિહાસિક સ્થળ વાસ્તવમાં પ્રાચીન જૈન તીર્થ 'સમડી વિહાર' છે. તાજેતરમાં જૈન સંતોએ સ્થળની મુલાકાત લીધી અને ભોંયરામાં પ્રવેશ ન મળતાં રોષ વ્યક્ત કર્યો. તેમના મતે, સદીઓ પહેલાં લંકાની રાજકુમારીએ તેનું નિર્માણ કરાવ્યું હતું. સંતોએ નવા બાંધકામને ખોટું ગણાવી પુરાતત્વ વિભાગ પર ઉપેક્ષાનો આરોપ લગાવ્યો છે, અને સ્થળના સંરક્ષણ તથા સંવર્ધન માટે તાત્કાલિક પગલાં ભરવાની માગ કરી છે.