રાજકોટના મેટોડા નજીક ૨૦થી વધુ ગાયોના અવશેષો મળ્યા
રાજકોટના મેટોડા નજીક ૨૦થી વધુ ગાયોના અવશેષો મળ્યા
Published on: 19th August, 2026

રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસી પાસે જાહેરમાં ૨૦થી વધુ ગાયોના મૃત્ત શરીરના અવશેષો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ગૌમાતાના માથા, હાડપિંજર અને અંગો જાહેરમાં ફેંકી દેવાયેલા જોવા મળ્યા હતા, જેના પરથી અડધું ચામડું ઉતારેલું હતું. આ દ્રશ્યો જોઈ સનાતનીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને ગેરકાયદે કતલનો આક્ષેપ કરાયો છે. જીવદયા પ્રેમીઓની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મૃત પશુઓના ચામડા ઉતારી ફેંકી દેવાયા હોવાનું જણાયું છે, પરંતુ ગેરકાયદે કતલ થઈ હશે તો કડક કાર્યવાહીની ખાતરી અપાઈ છે.