જામનગરના 489મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
જામનગરના 489મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
Published on: 19th August, 2026

જામનગર (નવાનગર) તેના 489મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાંભી પૂજન અને શહેરના ભૂતપૂર્વ રાજવીઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે ખાંભી પૂજન કરાયું, જેમાં ધારાસભ્ય, કલેક્ટર, મ્યુનિ. કમિશનર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ શહેરની રાજવી પ્રતિમાઓને પુષ્પહાર અર્પણ કરાયા. જામનગર શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા પણ પરંપરાગત રીતે ખાંભી પૂજન કરાયું.