ડભોઇ-રાજપીપળા સ્ટેટ હાઇવે પર ધૂળનું સામ્રાજ્ય
ડભોઇ-રાજપીપળા સ્ટેટ હાઇવે પર ધૂળનું સામ્રાજ્ય
Published on: 10th June, 2026

ડભોઇ-રાજપીપળા સ્ટેટ હાઇવે પર નર્મદા કેનાલ પાસે ચાલી રહેલી નાળાની કામગીરીને કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિકાસકાર્યમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે રોડની આજુબાજુ માટીનો મોટો ઢગલો છે, જેના પર પાણીનો છંટકાવ ન થતાં સમગ્ર હાઇવે ધૂળની ડમરીઓમાં ફેરવાઈ ગયો છે. આના કારણે વિઝિબિલિટી (જોવાની ક્ષમતા) ઘટી જાય છે અને અકસ્માતનો ભય રહે છે. રોડની આસપાસના રહેવાસીઓ અને દુકાનદારો પણ ધૂળના કારણે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે.