ડભોઇ અને તાલુકાના બજારોમાં રક્ષાબંધન પૂર્વે ઘરાકીનો અભાવ, વેપારીઓમાં નિરાશા
ડભોઇ અને તાલુકાના બજારોમાં રક્ષાબંધન પૂર્વે ઘરાકીનો અભાવ, વેપારીઓમાં નિરાશા
Published on: 24th August, 2026

પવિત્ર રક્ષાબંધનનો તહેવાર નજીક હોવા છતાં ડભોઇ શહેર અને તાલુકાના બજારોમાં તહેવાર જેવો ઉત્સાહ દેખાતો નથી. સામાન્ય રીતે આ સમયે રાખડી બજારો ગ્રાહકોથી ધમધમતા હોય છે, પરંતુ આ વર્ષે મંદીનો માહોલ છે. વેપારીઓ અનુસાર, કાચા માલના વધેલા ભાવ અને પરિવહન ખર્ચને કારણે રાખડીઓના ભાવમાં 15-20% નો વધારો થયો છે. મોંઘવારીને કારણે સામાન્ય અને મધ્યમવર્ગના બજેટ ખોરવાતા ખરીદી પર અસર પડી છે. વેપારીઓને આગામી દિવસોમાં વેચાણ વધવાની આશા છે, નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે.