ગુજરાત હાઈકોર્ટ: રજિસ્ટ્રેશન નહીં, સપ્તપદી જરૂરી
ગુજરાત હાઈકોર્ટ: રજિસ્ટ્રેશન નહીં, સપ્તપદી જરૂરી
Published on: 30th June, 2026

ગુજરાત હાઈકોર્ટે હિન્દુ મેરેજ એક્ટ સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર રજિસ્ટર્ડ મેરેજ સર્ટિફિકેટના આધારે હિન્દુ લગ્નને કાયદેસર માન્યતા મળી શકતી નથી. જો હિન્દુ મેરેજ એક્ટ મુજબ જરૂરી ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ, જેમ કે સપ્તપદી, નું પાલન થયું ન હોય તો આવા લગ્ન કાયદાકીય રીતે માન્ય ગણાશે નહીં. મેરેજ સર્ટિફિકેટ માત્ર લગ્નના સંપન્ન થયેલા હોવાનો પુરાવો છે, તે લગ્નને કાયદેસર બનાવતું દસ્તાવેજ નથી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આવશ્યક ધાર્મિક વિધિઓ વિના માત્ર રજિસ્ટ્રેશન કાયદેસર લગ્નની માન્યતા આપી શકતું નથી.