વડોદરામાં બસના દરવાજામાં ગળું ફસાતાં માસૂમ બાળકનું મોત
વડોદરામાં બસના દરવાજામાં ગળું ફસાતાં માસૂમ બાળકનું મોત
Published on: 20th August, 2026

વડોદરાના સૂર્યનગર-તરસાલી બાયપાસ પર એક કરુણ દુર્ઘટનામાં લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં 7 વર્ષીય બાળકનું ગળું ફસાઈ જતાં મોત નીપજ્યું. ઘરેથી મંદિરે પ્રસાદ લેવા ગયેલું બાળક રહસ્યમય સંજોગોમાં ભોગ બનતાં પરિવારમાં શોક છવાયો. પોલીસ તપાસ દરમિયાન, બનાવના 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ મળી આવતાં મામલો વધુ ગુંચવાયો છે. લાઈટ જતી રહી હોવાનું પ્રાથમિક કારણ દર્શાવાઈ રહ્યું છે, પરંતુ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે.