છોટા ઉદેપુરના ઓરસંગ બ્રિજ પાસે નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ
છોટા ઉદેપુરના ઓરસંગ બ્રિજ પાસે નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ
Published on: 02nd September, 2026

છોટા ઉદેપુરના જેતપુર પાવી નજીક ઓરસંગ બ્રિજ પાસે નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ફરી એકવાર મોટું ભંગાણ થયું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી પાઇપલાઇનમાંથી હજારો લિટર કિંમતી પાણી નદીમાં વહી રહ્યું છે. આ ઘટના સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને નઘરોળ કામગીરીનો પુરાવો છે. અગાઉ પણ આ જ જગ્યાએ પાઇપલાઇન તૂટી હતી, ત્યારે ઉતાવળમાં સમારકામ કરાયું હતું. ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાને કારણે ફરી ભંગાણ થયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રેતીના ધોવાણને કારણે પાઇપલાઇન ખુલ્લી પડી જાય છે, છતાં તંત્રએ કોઈ સુરક્ષા પગલાં લીધા નથી. આ બેદરકારીને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.