મહેસાણામાં સહયોગ મંડળીની તમામ ૧૭ બેઠકો બિનહરીફ્
મહેસાણામાં સહયોગ મંડળીની તમામ ૧૭ બેઠકો બિનહરીફ્
Published on: 14th June, 2026

મહેસાણા દૂધસાગર ડેરીના કર્મચારીઓની શાખ અને પુરવઠા સહકારી મંડળી 'સહયોગ' ની ચૂંટણીમાં તમામ ૧૭ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ્ જાહેર થયા છે. આ પરિણામથી કર્મચારીઓ અને સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ, 'સહયોગ' નું નિયામક મંડળ સતત બીજી વખત બિનહરીફ્ થયું છે. વર્તમાન ચેરમેન ફલ્ગુનભાઈ ચૌધરી સહિત તમામ ૧૭ સભ્યો ફરી ચૂંટાયા છે. 'સહયોગ' દર વર્ષે ૨૪૦ કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવે છે.