મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મંત્રીએ આપ્યો જવાબ
મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મંત્રીએ આપ્યો જવાબ
Published on: 14th June, 2026

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મિડલ ઈસ્ટમાં હવે શાંતિની આશા દેખાઈ રહી છે ત્યારે ભારતમાં ઈંધણના ભાવમાં ફેરફાર થશે કે નહીં તે અંગે અસમંજસની સ્થિતિ છે. આ અંગે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ કહ્યું છે કે, ભાવ વૈશ્વિક બજારમાં કાચા તેલની ઉપલબ્ધતા અને સપ્લાય પર આધાર રાખશે. ક્રૂડ ઓઈલના સપ્લાયનો રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ નિર્ણય લેવાશે.