વેરાવળની બે કોલેજોમાં શૈક્ષણિક કૌભાંડ!
વેરાવળની બે કોલેજોમાં શૈક્ષણિક કૌભાંડ!
Published on: 20th July, 2026

ગીર-સોમનાથના વેરાવળ સ્થિત મુકામે કાર્યરત માતૃશ્રી કેસરબેન સવનિયા બી.એડ્. કોલેજ અને શ્રી જે.કે.રામ આર્ટસ & કોમર્સ કોલેજ સામે કરોડોના શૈક્ષણિક કૌભાંડના ગંભીર આક્ષેપ થયા છે. ફરિયાદ મુજબ અપૂરતી સુવિધા હોવા છતાં ખોટા દસ્તાવેજોના આધારે મંજૂરી મેળવી અનેક કોર્સ ચલાવવામાં આવી રહ્યા છે. સંસ્થામાં ફાયર સેફ્ટી NOCનો અભાવ છે અને અગાઉ ખોટી માર્કશીટ કૌભાંડમાં પણ કાર્યવાહી થઈ ચૂકી છે. મિલકતો ભાડે આપવા અને પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો સાથે યુનિવર્સિટી અધિકારીઓએ ખોટા ઇન્સ્પેક્શન અહેવાલો આપી સંસ્થાને બચાવ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.