વડોદરામાં દિનેશ મીલ રેલવે અંડરપાસમાં ગટરના પાણીનો ભરાવો
વડોદરામાં દિનેશ મીલ રેલવે અંડરપાસમાં ગટરના પાણીનો ભરાવો
Published on: 21st July, 2026

સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા પાસે દિનેશ મીલ રેલવે અંડરપાસમાં ગટરના પાણી ભરાવાની સમસ્યા બીજા દિવસે પણ યથાવત રહી છે. ગઈકાલે પાણી ભરાતા અવરજવર બંધ હતી અને આજે પણ નિકાલ ન થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ મહત્વના માર્ગનો ઉપયોગ કરતા સ્થાનિકોને જેતલપુર બ્રિજ જેવા વૈકલ્પિક માર્ગોનો સહારો લેવો પડી રહ્યો છે. અંડરપાસમાં ભરાયેલા પાણીથી દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે. તંત્ર તરફથી અસરકારક કામગીરીના અભાવે સુરક્ષા માટે બેરીકેડ લગાવી દેવાયા છે, પણ સમસ્યાનો ઉકેલ નથી.