ગંભીરા બ્રિજ દુર્ઘટનાને એક વર્ષ: નરસિંહપુરાનો યુવાન હજી લાપતા!
ગંભીરા બ્રિજ દુર્ઘટનાને એક વર્ષ: નરસિંહપુરાનો યુવાન હજી લાપતા!
Published on: 09th July, 2026

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં નરસિંહપુરા ગામનો યુવાન વિક્રમ પઢિયાર હજી પણ લાપતા છે. નોકરીએ જતી વખતે નદીમાં ખાબકેલા વિક્રમ અને તેના પિતરાઈ રાજેશ ચાવડાનો હજી સુધી પત્તો મળ્યો નથી. ઘટનાના એક વર્ષ બાદ પણ પરિવાર વિક્રમના મૃતદેહની શોધ કરી રહ્યો છે અને ડેથ સર્ટિફિકેટ મેળવવાની રાહ જોઈ રહ્યો છે. આ દુર્ઘટનામાં કુલ 22 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.