પંચમહાલમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન
પંચમહાલમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન
Published on: 17th June, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના કાર્યકાળની ઉજવણી નિમિત્તે મહીસાગર જિલ્લાના મોટા ખાનપુર ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત જન કલ્યાણ શિબિરમાં છેલ્લા ૧૨ વર્ષના ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, ખેડૂત હિત, માળખાગત સુવિધાઓ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી અપાઈ. આરોગ્ય, પંચાયત, ખેતીવાડી, સમાજ કલ્યાણ વિભાગોના સ્ટોલ્સ પર આયુષ્માન ભારત, પીએમ કિસાન, પ્રધાનમંત્રી આવાસ, પીએમ સ્વનિધિ અને ઉજ્જવલા જેવી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લાભો એનાયત કરાયા.