જામનગર અને પડાણાના બે વ્યાજખોરો સામે પઠાણી વ્યાજખોરીનો ગુનો
જામનગર અને પડાણાના બે વ્યાજખોરો સામે પઠાણી વ્યાજખોરીનો ગુનો
Published on: 06th August, 2026

જામનગર શહેરના એક વેપારીની ફરિયાદ પરથી પોલીસે બે શખ્સો સામે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ ધંધાકીય જરૂરિયાત માટે રણજીતસાગર રોડ પર રહેતા ભરતભાઈ નંદા પાસેથી રૂ.32 લાખ ઉછીના લીધા હતા, જેના બદલામાં 120 ગ્રામ સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા. ફરિયાદીનો આરોપ છે કે વ્યાજ ચૂકવવા છતાં આરોપીઓએ તેમની જાણ બહાર દાગીના વેચી દીધા અને ધમકી આપી. અન્ય એક આરોપી પર પડાણા ગામના રવિરાજસિંહ ગોહિલે ફરિયાદીના ભાઈને રૂ.4 લાખ માસિક પાંચ ટકા વ્યાજે આપી, ફર્નિચર કબજે કરી વધુ રકમ માટે ધમકી આપ્યાનો આક્ષેપ છે.