વલસાડના ધરમપુર હોસ્ટેલમાં બુકાનીધારીઓનો હુમલો
વલસાડના ધરમપુર હોસ્ટેલમાં બુકાનીધારીઓનો હુમલો
Published on: 04th September, 2026

ધરમપુરની વનરાજ કોલેજની હોસ્ટેલમાં મોડી રાત્રે બુકાનીધારીઓએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો, જેનાથી 2-3 વિદ્યાર્થીઓને ઈજા થઈ. આ ઘટના બાદ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. વિદ્યાર્થીઓએ રેલી યોજી ધરમપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી. પોલીસે 16 લોકો સામે ફરિયાદ નોંધી 8ની અટકાયત કરી છે. આ વિવાદ મટકી ફોડવાના મામલે બે જૂથો વચ્ચે શરૂ થયો હતો, પરંતુ બહારથી આવેલા લોકોએ મારામારી કરી. વિદ્યાર્થીઓની સુરક્ષા પર પણ સવાલો ઉભા થયા છે.