અમદાવાદ સ્ટેશનને બાયપાસ કરીને દોડશે ટ્રેનો!
અમદાવાદ સ્ટેશનને બાયપાસ કરીને દોડશે ટ્રેનો!
Published on: 04th September, 2026

પશ્ચિમ રેલવે અમદાવાદ શહેરના વધતા ટ્રાફિક અને ભવિષ્યમાં ધોલેરા તરફ વધનારી ટ્રેનોને ધ્યાનમાં રાખીને ₹1,275 કરોડના ખર્ચે બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ શરૂ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સ અમદાવાદના રેલવે ઇતિહાસમાં મોટું પરિવર્તન લાવશે. મુંબઈથી સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત જતી ટ્રેનો અમદાવાદ સ્ટેશનમાં પ્રવેશ્યા વિના સીધી આગળ વધી શકશે, જેનાથી કાલુપુર સ્ટેશન પરનું ભારણ ઘટશે. સાબરમતી-સરખેજ ડબલિંગથી પશ્ચિમ અમદાવાદ અને ધોલેરા કનેક્ટિવિટી મજબૂત થશે, જે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન માટે મહત્વની બનશે. વસ્ત્રાપુર રેલવે સ્ટેશન નવી જગ્યાએ ખસેડાશે.