રથયાત્રાની ભીડમાં સોનાનું મંગળસૂત્ર થયું ગાયબ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
રથયાત્રાની ભીડમાં સોનાનું મંગળસૂત્ર થયું ગાયબ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
Published on: 05th August, 2026

વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન તસ્કરો દ્વારા ભીડનો લાભ ઉઠાવી ચોરીની ઘટનાઓ વધી રહી છે. આવી જ એક ઘટનામાં, ફતેપુરા વિસ્તારની 33 વર્ષીય શીતલ રૂપેશ સોલંકીના ગળામાંથી અજાણ્યા તસ્કરે રૂ. 65,800 કિંમતનું સોનાનું મંગળસૂત્ર સેરવી લીધું. આ બનાવ ગાંધીનગર ગૃહ નજીક રથયાત્રામાં પ્રસાદી લેતી વખતે બન્યો. મંગળસૂત્ર ખરીદીના બિલ મેળવવામાં સમય લાગતાં ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો. રાવપુરા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.