ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ પર સંપૂર્ણ પ્રતિબંધ!
ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ પર સંપૂર્ણ પ્રતિબંધ!
Published on: 06th August, 2026

લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ગુજરાત સરકારે 'ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ' (Dairy Analog Products) ના ઉત્પાદન અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા આદેશ જાહેર કરાયા બાદ ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાએ શહેરભરમાં ઝુંબેશ શરૂ કરી છે. રેસ્ટોરન્ટ્સ અને ફૂડ યુનિટ્સમાં તપાસ દરમિયાન પનીર એનાલોગ, ચીઝ એનાલોગ કે અન્ય કૃત્રિમ ડેરી ઉત્પાદનોનો ઉપયોગ થતો નથી તેની ખાતરી કરવામાં આવી રહી છે. Food Business Operators (FBOs) ને આ અંગે કડક સૂચના આપવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આ તપાસ ચાલુ રહેશે.