ભાવનગર લઠ્ઠાકાંડમાં 61 અસરગ્રસ્ત, 8ના મોત, 4 દર્દીઓ ICUમાં ક્રિટિકલ
ભાવનગર લઠ્ઠાકાંડમાં 61 અસરગ્રસ્ત, 8ના મોત, 4 દર્દીઓ ICUમાં ક્રિટિકલ
Published on: 21st August, 2026

ભાવનગર લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્તોનો આંકડો 61 પર પહોંચ્યો છે, જેમાં 8 લોકોના દુઃખદ મોત થયા છે. હાલ 25 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેમાં 5 દર્દીઓ ICUમાં છે અને તેમાંથી 4 દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર (critical) છે. 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વકીલો આ કેસ નહીં લડે તેવી જાહેરાત કરાઈ છે. આ ઘટના બાદ તંત્ર દ્વારા અસરગ્રસ્તોની સારવાર અને કાર્યવાહી પર દેખરેખ રાખવામાં આવી રહી છે.